
જો નહિ જાણો ઇતિહાસ પોતાનો
તો ઇતિહાસ ક્યારેય રચી નઈ શકો
જો નહિ શિક્ષિત થાસો તો
પોતાના હકોથી વંચિત રહી જશો.
જાગો હવે બહુજનો આ સમય
ફરી પાછો ક્યારેય નહિ આવે
જો નહિ થાઓ પગભેર તો
સદાય પાછળ રહી જશો.
કરો છો હજુ ગુલામી એ મનુવાદી
વિચારધારા એ પરંપરા ઓની
જો એમાંથી બહાર નહિ નીકળો
તો આ દલદલ માં ફસાઈ જશો.
ચેતજો – ચેતજો હજુ પણ
હાથમાં થોડો સમય છે ” પ્રદીપ “
વાગોળવી પડશે એક -એક ઘટનાને
નઇતર ફરી ભૂલી જશો.
– પ્રદીપ શાયર